સફળતાનાં પાંચ સૂત્રો
Successful business ના પાંચ સુત્રો
જીવનમાં success પ્રાપ્ત કરવાનાં જેટલા બતાવ્યા છે. તેમાં વિદ્ધાનો એ પાંચ સાધનો ને મુખ્ય સ્થાન આપ્યું છે.
જે મનુષ્ય પોતાના માં પાંચ સાધનો નો સમાવેશ કરી લે છે. તે ગમે તે સ્થિતિનો કેમ ન હોય, પોતાની ઈચ્છિત success ઓની પસંદગી જરૂર કરી છે.
Successful business ideas
![]() |
Success |
how to Success in life and career
1) પરિશ્રમ અને પુરુષાર્થ
જે મનુષ્ય પોતાના શરીર નો સાર પરિશ્રમરૂપી તપમાં ખર્ચે છે. પોતાની શક્તિ અને ક્ષમતાઓનો સમુચિત ઉપયોગ કરે છે. તે પ્રકાશ મેળવીને ધન્ય થઈ જાય છે. સક્રિય જ જીવન છે. અને નિષ્ક્રિયતા મૂત્યુ શ્રમથી દુર રહીને આળસ અથવા પ્રમાણમાં પડી રહેનાર મનુષ્ય ને જીવિત ન કહી શકાય.
2) આત્મવિશ્વાસ તથા બલિદાન
આત્મવિશ્વાસ અને સ્વાવલંબન વિનાની વ્યક્તિ ને કોઈ મદદ કરતું નથી કે સહયોગ આપતું નથી. નિયમ છે કે લોકો તેને જ મદદ કરે છે, જે પોતાની મદદ પોતે જ કરે છે. અને જેનું હૃદય આત્મવિશ્વાસ ની ભાવનાથી ઓતપ્રોત છે.
જે આપે છે, તે જ મેળવે છે. કોઈ એવું ઈચ્છે કે તે સંસારમાં બધું જ મેળવતો જ જાય, પરંતુ કશું જ આપવું ન પડે, તો આવી સ્વાર્થી અને સંકુચિત વૂતિવાળી વ્યક્તિ આ આદાન-પ્રદાન પર ચાલતા સંસારમાં એક કદમ પણ આગળ વધી શક્તી નથી. તેથી success મેળવવા અથવા તેની સંભાવનાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે તે જરૂરી ત્યાગ તથા બલીદાન માટે સદાય તત્પર રહે.
![]() |
Success life |
3) સ્નેહ અને સહાનુભૂતિ
success અથવા તેના પ્રયત્નમાં જો સ્નેહ તથા સહાનુભૂતિ નો સમાવેશ કરવામાં ન આવે તો તે કાં તો નિષ્ફળતામાં બદલાઈ જશે અથવા પ્રાપ્ત જ નહી થાય. જે ક્રૂર, કઠોર તથા અસંવેદનશીલ છે. તેના આ દુર્ગુણો જ તેના માર્ગમાં કંટક બનીને ફેલાઈ જશે. ઉન્નતી તથા વિકાસ તરફ જવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિએ સ્નેહ તથા સહાનુભૂતિને સ્થાન આપવું જરૂરી છે. જેથી પ્રતિદાનમા તે પણ સ્નેહ - સહાનુભૂતિ મેળવતી રહે અને તેનો માર્ગ પ્રશસ્ત થતો રહે.
4) સાહસ અને નિયમિતતા
ડરપોક માણસમાં આગળ વધવાની હીંમત જ નથી હોતી. તે ડગલે ને પગલે આપત્તિ અને મુશ્કેલીઓની શંકા કહેશે. સફળતાના માર્ગ પર અસફળતાનો ભય અસ્વાભાવિક નથી. ડરપોક વ્યક્તિ આવી અજ્ઞાત અથવા અસંભવ નિષ્ફળતાને કારણે અભિયાનનો આરંભ જ નહીં કરે. જે શ્રેયની શરૂઆત જ ન હોય તેનું પરિણામ કેવી રીતે આવી શકે ?
![]() |
Success tips |
5) પ્રસન્નતા તથા માનસિક સંતુલન
શરીરયાત્રા માટે જીવનની જેટલી જરૂર છે. તેટલી જ જરૂર સફળતા મેળવવા માટે પ્રસન્નતાની છે. અપ્રસન્ન વ્યક્તિ એક રીતે નિર્જીવ જ હોય છે. દુઃખી હાલતમાં મનુષ્યનુ સંતુલન અસંભવ છે. અને અસંતુલન નિશ્ર્ચિતરૂપે નિષ્ફળતાની જનનીની છે.
આમ સફળતાની આકાંક્ષા રાખનારા વ્યક્તિએ શ્રેય પ્રાપ્ત કરવા માટે સફળતાનો અભ્યાસ અને વિકાસ કરતા કરતા પોતાના માર્ગ પર આગળ વધવું જોઈએ, તેને સફળતા મળશે અને જરૂર મળશે.
0 ટિપ્પણીઓ