જ્ઞાતિવાદ એટલે શું?
![]() |
જ્ઞાતિવાદ |
જ્ઞાતિવાદના કારણો સમજાવો
ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તરચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે એમ કહી શકાય. જ્ઞાતિવ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે છે તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી. સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ અને શ્રમવિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. પ્રારંભિક પરિકલ્પના મુજબ તે ચાર વ્યવસાયો પર આધારિત વર્ણવ્યવસ્થા ( બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ) હતી.
જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા વ્યવસાયને આધારે આવકના સ્રોત રહેતા સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક નબળી રહી ગઈ.
ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર, સહેલાઈથી પહોંચી ન શકાય તેવાં દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારમાં અલગ વસવાટ કરતી હતી. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હતું. તેઓની પોતાની આગવી સંસ્કૃતિ - બોલી હતી. તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન વગેરેના કારણે વિકાસ સાધી શક્યા નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી રહી.
નબળા અને પછાત વર્ગના રક્ષણ માટે
0 ટિપ્પણીઓ